Tarnetar Fair "thangadh - gujarat"
Invitation For Come In The Tarnetar Fair
Something About The Fair :
The Tarnetar fair is held 8 km from the town of Thangadh, in Surendranagar District. Being the most important fair of Saurashtra, Tarnetar is attended by more than 50,000 people. The main castes that have been participating are the Kolis, Rabaris, Bharwads, Khants, Kanbis, Kathis, Charans, the Harijans and the Desh-rabaris. With its growing reputation, visitors from rest of India and many different parts of the world are also seen here. Rabari women of nearby Zalawad perform the famous circular folk dance calledrahado. Their marital status is indicated clearly by their costumes; a black zimi(skirt) means she is married. But if a woman is wearing a red zimi, it means she has not yet tied the knot, probably seeking a husband. The potential husbands seeking brides are elegantly dressed in colorful dhotis, artistically designed waistcoats and a head-cloth twisted at an angle, moving about the fairground at Tarnetar with striking umbrellas.
History :
Legend says that this fair has been held here since antiquity. Its origin is linked with the story of Draupadi’s swayamvar, where the great archer Arjun performed the difficult task of piercing the eye of a rotating fish with an arrow, by only looking at its reflection in the water. Through this feat he won his bride Draupadi.
Historically speaking, this festival tradition is believed to have begun 200-250 years ago. The fair is held on the grounds of the temple of Triniteshwar Mahadev, which means "the three-eyed God." The old temple that used to stand in Tarnetar was ruined, but a new one was built by the Gaekwads of Vadodara in the 19th century, and is now the focal point of the festival. It stands on the bank of a rivulet and opens into a beautiful kund. It is locally believed that this site used to be the original course of the Ganga river at some point in history, so a dip in the temple tank is considered by pilgrims to be as auspicious as a swim in the holy Ganga.
તરણેતર મેળા વિશે ની અમુક માહિતી :
સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે ‘દેવ કો પાંચાળ.’ કવિઓએ પાંચાળને ‘દેવ-ભૂમી પાંચાળ ’કહી બીરદાવી છે. પાંચાળમાં વિવિધ સંપ્રદાયો અને સ્થાનકો મન મૂકીને ફેલાયા છે અને સ્થપાયા પણ છે. એક કાળે બારે માસ જેની નદિઓ નિર્મળ નીર થી વહેતી રહેતી એવા પાંચાળ ને લોકકવિએ બિરદાવ્યો છે.
નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ ;
ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.
ખડ પાણીને ખાખરા, ધરતી લાંપડીયાળ;
વગર દીવે વાળુ કરે, પડ જોવો પાંચાળ.
શિવ મંદિરોની વાત આવે એટલે હૈયે ચડે સૌરાષ્ટ્ર ના ત્રણ શિવ મંદિરો-સોમનાથ, ભવનાથ અને તરણેતર.
પાંચાળના કેન્દ્ર બિંદુ થાનગઢ થી ૧૧ કીલોમીટર દુર ઉતર દિશાએ તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું શિવાલય છે. તરણેતર મુખ્યત્વે તેના મેળાથી દુનિયા ભરમાં પ્રસિદ્ધ બન્યું છે. મંદિરની સ્થાપના અંગે ઘણી કથાઓ પ્રચલિત છે.
એક કથા મુજબ તેના મૂળ મહાભારત કાળમાં છે.રાજા દ્રુપદની નગરી પાંચાળ માં હતી અને આ તરણેતરના કુંડમાં અર્જુને મત્સ્યવેધ કર્યો હતો.
બીજી કથા એવી છે કે કણ્વ ઋષિએ અહી મહાદેવની પૂજા કરી હતી. અન્ય લોક વાયકા મુજબ અયોધ્યાના સૂર્યવંશી રાજા યુંવાનાશ્વર નિ:સંતાન હોવાથી તેણે ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેનાથી જે પુત્ર જન્મયો તે માંધાતા. માંધાતા એ તરણેતરનું મંદિર બંધાવ્યું હતું.
મહાદેવનું એક સ્વરૂપ ધ્યાનસ્થ યોગીનું છે. તપશ્ચર્યા કરી રહેલા મહાદેવના તપથી દેવતાઓ ને ડર લાગ્યો. તેમણે ભોળિયા દેવને વિચલીત કરવા કામદેવને મોકલ્યા. કામદેવની હરકતોથી મહાદેવની સમાધિમાં ખલેલ પડી તેથી મહાદેવનો રોષ ભભૂકી ઉઠ્યો અને તેમણે પોતાનું ત્રીજું લોચન ખોલી કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. આ ધટના સ્થળ એટલે ત્રિનેત્રેશ્વર-તરણેતર.
ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદિર દસમી સદીનું હોવાની શક્યતા છે. મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની છે. પ્રતિહાર રાજાઓ શિવાલયો બંધાવાના શોખીન હતા. તેમણે આ મંદિરની સ્થાપના(રચના) કરી હશે તેવું એક અનુમાન છે. પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યાના પ્રમાણ મળે છે.
ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર બે મંદિરો છે. (૧) તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવ, અને (૨) હિમાલયમાં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.
પ્રાચીન મંદિરનો જીણોદ્ધાર લખતરના રાજવી ‘કરણસિંહજી’એ ઇ.સ.૧૯૦૨ની સાલમાં ઓગષ્ટ મહિનામાં કરાવ્યો હતો. તરણેતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હકુમત નીચે હતા. પુત્રી કરણબાના સ્મરણાર્થે રૂ.૫૦ હજારના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું. નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય.
તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે. જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે.તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજીએ જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે. છતમાં એક અદભુત શિલ્પ છે.તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર માં ગોઠવાયેલાં છે. કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધડના મસ્તક દેખાય. શિલ્પના લાલિત્ય અને અંગભંગ મોહક તથા મનોહર છે.
મંદીરની ત્રણ બાજુ કુંડ છે. તેને વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવોના નામ જોડ્યા છે. મંદિરની ચોતરફ ઉંચો ગઢ છે. એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં ચણી લેવામાં આવ્યા છે. એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું છે, પણ તેની કોતરણી અનુપમ છે.
ચારેબાજુ ઉંચો ગઢ અને વચ્ચે મંદિર જમીન નીચે ઉતાર્યું છે, તેથી સુકી હવા અને પવનની થપાડો સામે
સુરક્ષિત રહી શકે તથા મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે. શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પમાં જાણે કે શિલ્પીઓએ જીવરેડી દીધો હોય તેવું અદભુત છે.
એવા ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના ચરણોમાં કોટીકોટી વંદન.